માં પાર્વતીના આ શ્રાપથી અગ્નિ ને ભેટ ચઢી હતી લંકા.આપણે બધાં જાણીએ છીએ કે લંકામાં આગ શ્રી હનુમાનજીને લગાવી હતી.પણ તમે આ જાણો છો કે આ બધું માં પાર્વતીનાં શ્રાપને લીધે થયું હતું.તો આવો જાણીએ કે શું થયું હતું કે માં પાર્વતીએ લંકા સળગાવાનો શ્રાપ આપ્યો અને કોને આપ્યો.અહીંથી ચાલુ થાય છે આગળની કથા.
આ કથા કહે છે કે એક વાર માં પાર્વતીએ વિષ્ણુ અને લક્ષ્મીજીને ભોજન પર આમંત્રણ આપ્યું હતું.ત્યારે માં લક્ષ્મીએ તેમને પૂછ્યું કે તમે આટલી ઠંડી હવા વચ્ચે કેવી રીતે રહી શકો છો,તે પણ જ્યારે તમે રાજકુમારીનું જીવન વિતાવી ચુક્યા છો આનાથી માં પાર્વતી ઘણા દુ:ખી થયા,થોડાં દિવસો પછી માં લક્ષ્મીજી એ દેવી પાર્વતીને વૈકુંઠધામ આવવાનું નિમંત્રણ આપ્યું .
માં પાર્વતી અને વૈકુંઠધામ..
માં પાર્વતી લક્ષ્મીજીનાં કહેવા પર શિવજીને સાથે કૈલાશધામ આવ્યા.ત્યાં વૈકુંઠધામનું વૈભવ અને ઐશ્વર્ય જોઈને તેમણે પણ ભોલેનાથ જોડે એક અત્યંત વૈભવશાળી મહેલ બનાવવાનું સુચન કર્યુ.પહેલા તો એમણે માતાને બહુ સમજાવાનો પ્રયાસ કર્યો .પણ જ્યારે તે ન માન્યા તારે તેમને વિશ્વકર્માને મહેલ બનાવવાનું કામ સોંપી લીધું.એના પછી જ તેમણે સોનાનું મંદિર તૈયાર કર્યુ.
સોનાનો મહેલ જ્યારે તૈયાર થયો ત્યારે માતા પાર્વતી એ બધા દેવી -દેવતાને આમંત્રણ આપ્યું મહેલનું વાસ્તુપુજનની પૂજાના કારણે રાવણના પિતા વિશ્વા જે મોટા વિદ્વાન હતાં,તેમણે બોલાવવામાં આવ્યા મહેલની ચકાચોંધ જોઈને ઋષિ વિશ્વાનું મન ફરી ગયું અને તેમણે ભગવાન શિવ જીડે તેને દાનમાં માંગી લીધું .શિવે પણ તેમણે નિરાશ ના કર્યા અને મહેલને ભેટ સ્વરૂપ દાનમાં આપી દીધો.માતા પાર્વતીને એનાથી બહુ દુઃખ થયું અને તેમણે ઋષિ વિશ્વાને ભેટ આપેલો મહેલને સળગવાનો શ્રાપ આપી દીધો ,તેમના શ્રાપનો જ પ્રતાપ હતો કે હનુમાનજીએ સોનાની લંકા સળગાવીને ભસ્મ કરી નાંખી.