Helth

માથામાં મહેંદી લગાવતી વખતે તેમાં ઉમેરીદો આ વસ્તુ,વાળ થઈ જશે એકદમ સુંદર અને લાંબા.

જ્યારે પણ સૌંદર્યની વાત મહિલાઓ કરતી હોય છે, તો ખાસ કરીને વાળને લગતી સમસ્યા તો દરેક મહિલાને હોય જ છે. વાળની સમસ્યા માટે મહેંદીએ એક પ્રાકૃતિક ઉપચાર છે. વર્ષો પહેલાથી મહિલાઓ વાળની સંભાળ માટે મહેંદીનો ઉપયોગ કરતા હતા. મહેંદીનો પ્રયોગ કોઇ મોંઘા સલુનમાં જઇને પણ નહીં તમે ઘરે પણ કરી શકો છો. આ ઉપચાર પદ્ધતિ દ્વારા વાળ સુંદર બને છે, તથા વાળને કોઇ પ્રકારનું નુકસાન પણ થતું નથી.

તમે ઘરે બેઠા પણ સરળ રીતે મહેંદીનો પ્રયોગ કરી શકો છો.ઘણા લોકો સફેદ વાળ ને છુપાવવા માટે મહેંદી નો સહારો લેતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આયુર્વેદની અંદર વાળને લગતી બીમારીઓ જેવી કે ખરતા વાળ, સફેદ વાળ અને ડ્રાય હેર જેવા પ્રોબ્લેમનો રામબાણ ઈલાજ છે. આજે અમે આપને એવા જ એક મેંદી માથી બનેલા લેપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લગાવવાથી વાળને લગતી તમામ સમસ્યાઓ દૂર થશે.

આપણે સૌ મહેંદીને માથામાં નાખીએ છીએ જેથી આપણા વાળ મુલાયમ રહે અને વાળમાં કુદરતી ચમક આવે. સામાન્ય રીતે આપણે મેંદીમાં પાણી ઉમેરી અને સીધો જ વાળમાં લગાવી દઈએ છીએ, પરંતુ જો આજ મહેંદીમાં બીજી અમુક વસ્તુઓ મેળવી દેવામાં આવે તો આ મિશ્રણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક ઔષધિ બની જાય છે.

કેવી રીતે બનાવશો આ લેપ, આ મિશ્રણ બનાવવા માટે સૌપ્રથમ કોઈ લોખંડના વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરવું. લોખંડના પાત્રનો ઉપયોગ કરવાથી આ મિશ્રણમાં લોહ તત્વ ભળશે જેથી તમારા વાળ એકદમ કાળા થઈ જશે. ત્યારબાદ આ પાણીમાં બે ચમચી શિકાકાઈ પાઉડર ઉમેરો આ પાઉડર ખરતા વાળની સમસ્યાને દૂર કરે છે તથા વાળ માં આવતી ખંજવાળને પણ દૂર કરશે.ત્યારબાદ આ મિશ્રણમાં બે ચમચી ભૃંગરાઝ પાઉડર નાખવો જેથી તમારા વાળ મૂળમાંથી મજબૂત બનશે અને તેમાં કુદરતી ચમક આવશે. ત્યારબાદ આ મિશ્રણમાં મહેંદી ઉમેરી બરાબર હલાવી એક રાત સુધી પલળવા દો. જો આ પેક તરત જ લગાવું હોય તો પણ અંદાજે એકથી બે કલાક સુધી આ મિશ્રણને પલળવા દો.

હવે ધોયેલા કોરા વાળમાં આ પેક લગાવી અને અંદાજે એક કલાક સુધી રહેવા દો. આ પેક લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે વાળમાં જરા પણ ઓઇલ ન હોવું જોઈએ. આ મિશ્રણને વાળ ના મૂળમાં પણ લગાવી શકાય છે. અંદાજે એક કલાક બાદ સાદા પાણીથી વાળ ધોઈ લો. ખાસ ધ્યાન રાખવું કે વાળ ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ ન કરવો, નહીંતર આ પેક ની અસર થશે નહિ. વાળ ધોયા બાદ રાત્રે સૂતા સમયે તેલની માલિશ કરવી અને બીજે દિવસે વાળને શેમ્પુથી ધોઈ લેવા. આ રીતે મેંદી સાથે આ અન્ય ઔષધીય તત્વો મેળવી અને સામાન્ય મેંદી ને બનાવી શકો છો વાળનું ઉત્તમ ગુણકારી ઔષધ.

ખોળામાં રાહત, ખોડામાંથી મુક્તિ મેળવવા માટે મેંદીનો આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ એક વાસણમાં ચાનું પાણી ઉકાળી લો, હવે બીજા એક અલગ વાસણમાં એક વાટકી દહીં માં ચાર ચમચી મહેંદી નો પાવડર મિક્સ કરી અને ચાના પાણીમાં ઉમેરી દો. હવે આ મિશ્રણમાં એક લીંબુ નીચોવી અને તેને આખી રાત રહેવા દો.

બીજે દિવસે સવારે વાળમાં થોડું તેલ લગાવી અને મેંદી ના બનાવેલા આ મિશ્રણને લગાવી એક કલાક રહેવા દો. ત્યાર બાદ વાળને ધોઈ લો આમ કરવાથી વાળમાંથી ખોડો સદંતર નાબૂદ થશે.વાળને કલર કરવા માટે, એક વાસણમાં ચાર ચમચી મહેંદી અને થોડો કોફીનો પાઉડર લઈ તેમાં થોડું પાણી ઉમેરી તેને બરાબર મિક્સ કરો, અને આ મિશ્રણને આખી રાત પલળવા દો.સવારે આ મિશ્રણને કોરા વાળમાં લગાડી એક કલાક સુધી રહેવા દો. ત્યારબાદ વાળને સાદા પાણીથી ધોઈ લો ત્યારબાદ તેં દિવસે રાતે તમારા વાળમાં તેલ લગાવી લો. બીજે દિવસે સવારે શેમ્પૂથી વાળ ધોઈ નાખો જેથી તમારા વાળમાં મહેંદી નો રંગ ચડી જશે.

વાળ સિલ્કી બનાવવા માટે, એક વાસણમાં થોડું મેંદી નો પાવડર અને બે ઈંડા તોડી થોડું પાણી નાખી અને એકદમ ઢીલી પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને સીધી વાળમાં લગાવી દો અને થોડા સમય બાદ તેને શેમ્પૂથી ધોઈ નાખો. વાળને સુગંધિત શેમ્પૂથી ધોવાથી ઈંડાની વાસ દૂર થશે.જો તમને શિયાળામાં મહેંદી લગાવવી હોય તો મહેંદીમાં લવિંગનો ભૂકો નાખવો જેથી ગરમાવો રહેશે અને શરદીની તકલીફથી બચી શકાશે.

વાળમાં મહેંદી લગાવતાં પહેલાં હાથમાં મોજાંનો ઉપયોગ અવશ્ય કરો. જેથી જો તમને ત્વચા સંબંધી કોઈ પણ સમસ્યા કે એલર્જી હોય તો તમારા હાથ સુરક્ષિત રહે.મહેંદી લગાવ્યા પછી વાળની ઉપર શાવર કેપ અવશ્ય લગાવો, જેથી મહેંદી એકદમ સૂકાઈ ન જાય અને વાળ ધોવામાં સરળતા રહે. આ સાથે જ મહેંદીવાળા વાળ ધોતી વખતે વાળ વધારે ખરશે કે તુટશે નહીં.જો તમારે વાળને પર્પલ કલર કરવા હોય તો જાસૂદના ફુલને ક્રશ કરી તેના રસને મહેંદીમાં મિક્ષ કરી વાળમાં લગાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.